ગુરુપૂર્ણિમા ના દિવસ કરો આ ઉપાય થઈ જશો માલામાલ,એક વાર જરૂર અજમાવો…..
ગુરુભક્તિ દર્શાવતું પર્વ એટલે જ ગુરુપૂર્ણિમા.અષાઢી પૂર્ણિમાના દર વર્ષે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પૂર્ણિમા 5 જુલાઈ છે.આ પૂર્ણિમાના દિવસ શિષ્યો પોતાના ગુરુની પૂજા કરે છે અને તેમને ભેટ આપે છે.ભારતીય સંસ્કૃતિમાં અને તેમાં પણ ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ગુરુનો મહિમા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ગુરુ શબ્દ બે શબ્દોનો બનેલો છે. ગુ અંધકાર અને રુ પ્રકાશની યુતિ છે.આમ, ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ
કેમ ઉજવાય છે ગુરુપૂર્ણિમા.

આ દિવસોમાં વેદોના સંકલનકર્તા અને પુરાઓના રચયિતા કૃષ્ણદ્વૈપાયન મહર્ષિ વેદવ્યાસસ જીનો જન્મદિવસ માનવામાં આવે છે. પુરાણોના રચયિતા હોવાના કારણે તેમને પ્રથમ ગુરુ હોવાનું સન્માન મળ્યું છે અને તેમના જન્મદિવસને ગુરુપૂર્ણિમાના રુપમાં મનાવવામાં આવે છે.

અષાઢી પૂનમ એટલે કાર્તિકી સંવત્સરની નવમા માસની પૂનમ.તમને ખબર હશે કે પહેલા ના જમાનામાં ગુરુકુળ પરંપરામાં આ દિવસે વિદ્યા આપનાર ગુરુનું પૂજન થતું. વિદ્યાર્થીઓના વાલી તથા સમાજના અગ્રેસર લોકો આ ગુરુજનોને યથાયોગ્ય દક્ષિણા અર્પણ કરીને ઋણ ચૂકવવાની ભાવના વ્યક્ત કરતા હતા.

અષાઢી પૂનમ એટલે કાર્તિકી સંવત્સરની નવમા માસની પૂનમ. અગાઉના જમાનામાં ગુરુકુળ પરંપરામાં આ દિવસે વિદ્યા આપનાર ગુરુનું પૂજન થતું. વિદ્યાર્થીઓના વાલી તથા સમાજના અગ્રેસર લોકો આ ગુરુજનોને યથાયોગ્ય દક્ષિણા અર્પણ કરીને ઋણ ચૂકવવાની ભાવના વ્યક્ત કરતા હતા.

ગુરુપૂનમના દિવસે થનારું છાયા ચંદ્રગ્રહણ ધનુ રાશિમાં હોવાથી કન્યા (પ.ઠ.ણ.), વૃષભ (બ.વ.ઉ.) મકર (ખ.જ) તથા ધનુ (ભ.ધ.ઢ.ફ) એ ચાર રાશિની વ્યક્તિઓએ ઈષ્ટદેવની ભક્તિ તથા પોતાના રાશિના અધિપતિ ગ્રહના જાપ શાંતિપૂર્વક જાતે કરવાથી મનોબળમાં વૃદ્ધિ થાય.
અષાઢી પૂનમે કરો આ ઉપાય.

સાધારણ સંજોગોમાં શ્રદ્ધાળુ લોકો પોતાના પંથ પ્રમાણે કે પરિવારની પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમાના દિવસે શ્રદ્ધાધામમાં જઈને ઉજવણી કરે છે. આ વર્ષે સમય-સંજોગો જુદા છે ત્યારે બારેય રાશિના લોકો પોતાના ઘેર રહીને પણ ગુરુપૂર્ણિમાનું ભાવપૂર્વક કર્તવ્ય બજાવી શકે છે.

ભગવાન વિષ્ણુને તુલસી અતિપ્રિય હોવાથી વળી તુલસી આરોગ્ય માટે વિશેષ ઉપયોગી હોવાથી તુલસીના છોડનું જતન કરવું. નવા તુલસીનું માંજરથી વાવેતર કરવું. સાત્વિક સાહિત્યનું વાંચન કરવું. જનસેવા એ પ્રભુસેવા છે તેમ સમજીને પોતાની આસપાસ જરૂરિયાતવાળા લોકોને શક્ય હોય તે રૂપે, તે રીતે મદદ કરવી જોઈએ.

જીવનમાં સૌપ્રથમ ગુરુ જનેતા એટલે કે મા છે. ત્યારપછી પિતા, પરિવારના વડીલો અને જ્ઞાની પુરુષો, ગુરુજનો એમ આખી સાંકળ ભારતીય પરંપરામાં જોવા મળે છે. દત્તાત્રેય દ્વારા ગુરુ પરંપરામાં વિશેષ ખ્યાલ ઉમેરાયો હતો. તેમણે શ્વાન સહિત પોતાના જીવનમાં ચોવીસ ગુરુ બનાવ્યા હતા.

ગુરુ શુ છે, કેવા છે અને કોણ છે એ જાણવા માટે તેમના શિષ્યોને જાણવા જરૂરી હોય છે અને એ પણ કે ગુરુને જાણવાથી શિષ્યોને જાણી શકાય છે, પરંતુ આવુ ફક્ત એ જ કરી શકે છે જે પોતે ગુરુ કે શિષ્ય છે. ગુરુએ છે જે સમજી-પારખીને શિષ્યને દીક્ષા આપે છે અને શિષ્ય પણ એ છે જે સમજી ઓળખીને ગુરુ બનાવે છે.
Comments
Post a Comment